ઈટીવી નેટવર્ક અને રામોજી ફિલ્મ સિટીના પ્રમુખ રામોજીરાવનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા અને બીમાર હતા.
હૈદરાબાદમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
હાઈ બ્લડપ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને પાંચ જૂને હૈદરાબાદની સ્ટાર હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
વરિષ્ઠ ભાજપ નેતા જી. કિશન રેડ્ડીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેલુગુ મીડિયામાં નોંધનીય યોગદાન માટે તેમને યાદ રખાશે.
તેમણે તેમના પત્રકારત્વના યોગદાનને પણ યાદ કર્યું હતું.
રામોજીરાવનો જન્મ 1936માં કૃષ્ણા જિલ્લાના પેડાપારુપુડીમાં થયો હતો. તેમનાં માતાપિતાએ તેમનું નામ રામય્યા રાખ્યું હતું, બાદમાં તેમણે બદલીને રામોજીરાવ કરી નાખ્યું હતું.