Saurashtra Satya
સૌરાષ્ટ્ર કચ્છ

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો: 10,039 બેઠકો માટે જામશે ખરાખરીનો જંગ, આજથી જાહેરનામું પ્રસિદ્ધ, 26 એપ્રિલે યોજાશે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે 6 એપ્રિલે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ જાહેરનામા સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જે 11 એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ 13 એપ્રિલે ફોર્મની ચકાસણી અને 15 એપ્રિલ સુધી નામ પરત ખેંચવાની મુદત આપવામાં આવી છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુલ 10,039 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં અનેક વિસ્તારોમાં નવા સીમાંકન બાદ પ્રથમ વખત મતદાન થશે.

મતદાન, પ્રચાર અને પરિણામનું સમયપત્રક

ચૂંટણી પંચના આયોજન મુજબ, 16 એપ્રિલથી ઉમેદવારો સત્તાવાર પ્રચાર શરૂ કરી શકશે, જે 24 એપ્રિલની સાંજ સુધી ચાલશે. રાજ્યભરમાં 26 એપ્રિલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 28 એપ્રિલે મતગણતરી થશે. ઈવીએમ (EVM) મશીનનો ઉપયોગ થવાને કારણે ગણતરી ઝડપી થશે, પરંતુ બેઠકોની સંખ્યા વિશાળ હોવાથી અંતિમ પરિણામો 28મીની મોડી રાત અથવા 29 એપ્રિલની સવાર સુધીમાં જાહેર થવાની શક્યતા છે. આ 9 દિવસના ટૂંકા પ્રચાર ગાળામાં તમામ પક્ષો મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવશે.

ચૂંટણીનું વ્યાપક કાર્યક્ષેત્ર અને ખાસિયતો

આ વખતની ચૂંટણીમાં જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની તમામ 15 મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નવી બનેલી 7 નગરપાલિકાઓ અને વાવ-થરાદ જેવી નવી જિલ્લા પંચાયતોમાં પણ પ્રથમવાર મતદાન થશે. કપડવંજ, કઠલાલ અને ગાંધીનગર તાલુકા પંચાયત સિવાયની રાજ્યની તમામ 260 તાલુકા પંચાયતોમાં જંગ જામશે. સીમાંકનમાં થયેલા ફેરફારો અને નવી બેઠકોના ઉમેરાને કારણે આ ચૂંટણી રાજ્યના રાજકીય ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More