Saurashtra Satya
ભારત

વક્ફ કાયદા પર SC નો આવ્યો નિર્ણય, કાયદાની એક જોગવાઈ પર લગાવી રોક, કહ્યુ – સમગ્ર કાયદા પર સ્ટેનો કોઈ આધાર નથી

સુપ્રીમ કોર્ટે વકફ સુધારા બિલ પર પોતાનો વચગાળાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વકફ કાયદાની કેટલીક જોગવાઈઓ પર સ્ટે મૂક્યો છે. આ સાથે, કોર્ટે કહ્યું છે કે સમગ્ર કાયદા પર સ્ટે મૂકવાનો કોઈ આધાર નથી. વક્ફ કાયદામાં જણાવાયું છે કે કોઈ મિલકતને વક્ફ જાહેર કરવા માટે, તે વ્યક્તિ 5 વર્ષથી ઇસ્લામનું પાલન કરતી હોય તે જરૂરી છે. કોર્ટે આ જોગવાઈ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે, કેટલીક અન્ય જોગવાઈઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે. જ્યાં સુધી રાજ્ય સરકારો કોઈ વ્યક્તિ ઇસ્લામનો અનુયાયી છે કે નહીં તે નક્કી કરવા માટે નિયમો ન બનાવે.

આ પહેલા 22 મેના રોજ, સતત ત્રણ દિવસની સુનાવણી બાદ, કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. છેલ્લી સુનાવણીમાં, અરજદારોએ કહ્યું હતું કે આ કાયદો મુસ્લિમોના અધિકારોની વિરુદ્ધ છે અને વચગાળાના સ્ટેની માંગ કરી હતી. તેમજ, કેન્દ્ર સરકારે કાયદાની તરફેણમાં દલીલો રજૂ કરી હતી.
આ ચર્ચા સરકારના આ દલીલની આસપાસ રહી હતી કે વક્ફ એક ઇસ્લામિક ખ્યાલ છે, પરંતુ તે ધર્મનો આવશ્યક ભાગ નથી. તેથી, તે મૂળભૂત અધિકાર નથી.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More