Saurashtra Satya
ભારત

Vijay Diwas – તમે ઘેરાય ચુક્યા છો, જો આત્મસમર્પણ નહી કરો તો… 1971ના યુદ્ધના દુર્લભ વીડિયો સાથે સેનાએ પાકિસ્તાનના ઘા પર મીઠું નાખ્યું

‘ભારતીય સેના બાંગ્લાદેશમાં છે… તમારી એરફોર્સ બરબાદ થઈ ચુકી છે… તમે ચારે બાજુથી ઘેરાયેલા છો… જો તમે આત્મસમર્પણ નહીં કરો તો તમને નિર્દયતાથી મારી નાખવામાં આવશે…’ આજથી લગભગ 52 વર્ષ અગાઉ, આ એક સંદેશે પાકિસ્તાની સેનાની બાકી રહેલી આશાઓને પણ નષ્ટ કરી દીધી હતી. થોડા સમય પછી 16 ડિસેમ્બર 1971ના રોજ ઢાકામાં પાકિસ્તાની સેનાના 93 હજારથી વધુ સૈનિકોએ આત્મસમર્પણ કર્યું.

 

પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો અને બાંગ્લાદેશ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. આપણે આ ખાસ પ્રસંગને ‘વિજય દિવસ’ તરીકે ઉજવીએ છીએ. સેનાએ પોતાની આગવી શૈલીમાં આ વિજય દિવસની ઉજવણી કરી હતી. 1971ના યુદ્ધના દુર્લભ દ્રશ્યોને વીડિયોના રૂપમાં રજૂ કરીને પાકિસ્તાનના ઘા પર મીઠું નાખવામાં આવ્યું છે. આ વિડિયો જોયા પછી, તેઓ ચોક્કસપણે ભારતીય સેનાની બહાદુરીને યાદ કરશે અને કદાચ તેમના કાર્યો પર થોડી શરમ પણ અનુભવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971ના યુદ્ધનો દુર્લભ વીડિયો

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More