લીવરને લગતા રોગો પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 19 એપ્રિલનાં દિવસે વર્લ્ડ લીવર ડેની ઉજવણી થાય છે.
યકૃત એટલે કે લીવરને લગતા રોગો પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 19 એપ્રિલનાં દિવસે “વર્લ્ડ લીવર ડે” ઉજવવામાં આવે છે. ખોરાકને પચાવવાનું અને તેમાંથી વિટામિન્સ અને મિનરલ્સ શોધીને શરીરને પહોંચાડવાનું કામ યકૃત કરે છે.
જંકફુડ, કસરતનો અભાવ વગેરેને કારણે ફેટી લિવરનાં દર્દીઓ વધ્યા છે. યકૃતની કાળજી રાખવામાં બેદરકારીને કારણે લિવર ટ્રાન્સપ્લાન્ટનાં કેસોમાં પણ વધારો થયો છે.

