Saurashtra Satya
ભારત

ઘરે જ મળી હતી શેફાલી જરીવાલાની ડેડ બોડી, પોલીસ અને વોચમેનનુ નિવેદન આવ્યુ સામે, પોસ્ટમોર્ટમમા ખબર પડશે મોતનુ કારણ

અભિનેત્રી શેફાલી જરીવાલાના મૃત્યુ બાદ હવે મુંબઈ પોલીસનું નિવેદન સામે આવ્યું છે. અભિનેત્રીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તે જ સમયે, પોલીસનો દાવો છે કે અભિનેત્રી તેના અંધેરી સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તેનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું. પરંતુ પોલીસના નિવેદન સાથે મામલો અલગ દિશામાં જઈ રહ્યો છે.

 

ખરેખર, પોલીસે જણાવ્યું છે કે તેમને 28 જૂનની રાત્રે 1 વાગ્યે શેફાલી જરીવાલાના મૃત્યુની માહિતી મળી હતી, ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ઉપરાંત, મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી. IANS અનુસાર, 28 જૂન, શનિવારે સવારે, મુંબઈ પોલીસ અને ફોરેન્સિક ટીમ શેફાલીના ઘરે પહોંચી હતી. આ ટીમો ઘરની અંદર હાજર છે અને તપાસ કરવામાં આવી રહી છે. પરિવારના અન્ય સભ્યો પણ ઘરમાં હાજર છે, જેમની પૂછપરછ કરવામાં આવી છે. શેફાલીની નોકરાણી અને રસોઈયાને રાત્રે અંબોલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
શેફાલીના મોત પર પોલીસનુ નિવેદન
ANI ના મુજબ પોલીસે જે સ્ટેટમેંટ આપ્યુ છે  તેમા તે બતાવી રહ્યા છે “શેફાલી જરીવાલાની ડેડબોડી અંધેરી વિસ્તારમાં તેમના ઘરે જ મળી હતી.   મુંબઈ પોલીસને આની સૂચના રાત્રે 1  વાગે મળી.  તેમની ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલ મોકલી દીધી છે. મોતનુ કારણ હજુ સ્પષ્ટ નથી.  પ્રારંભિક અહેવાલોમાં જાણવા મળ્યું છે કે શેફાલીનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું, પરંતુ તેના મૃત્યુ પાછળનું કારણ પોસ્ટમોર્ટમ પછી જ સ્પષ્ટ થશે. અત્યાર સુધી, પરિવારે કહ્યું છે કે તેનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું, પરંતુ મુંબઈ પોલીસ તેની પ્રાથમિક તપાસ કરી રહી છે.
શેફાલી જરીવાલાના ચોકીદારનુ નિવેદન 
બિલ્ડીંગના ચોકીદાર શત્રુઘ્ન મહતોએ એજન્સીને જણાવ્યું કે તેણે શેફાલીને જોઈ નથી. જ્યારે તેની ગાડી પસાર થઈ ત્યારે તેણે ગેટ ખોલ્યો હતો, પરંતુ શેફાલીના મૃત્યુ વિશે કોઈ માહિતી નહોતી. ચોકીદારે કહ્યું, ‘મને આ વિશે ખાતરી નથી. મને રાત્રે 1 વાગ્યાની આસપાસ ખબર પડી, જ્યારે એક માણસે મને કહ્યું કે શેફાલીનું મૃત્યુ થયું છે.’
શેફાલી જરીવાલનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું
અત્યાર સુધી, શેફાલી જરીવાલાના મૃત્યુ વિશે ફક્ત એક જ સમાચાર આવ્યા છે કે તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું છે. 42 વર્ષીય અભિનેત્રીએ 27-28 જૂનની મધ્યરાત્રિએ અંતિમ શ્વાસ લીધા હતા અને તેમના પતિ પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકો તેમને બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમનું અવસાન થઈ ગયું હતું. અભિનેત્રીના મૃત્યુથી બધા આઘાતમાં છે. બોલીવુડ જગતનાના તેના મિત્રો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More