Saurashtra Satya
મનોરંજન

રણવીર કપૂરની રામાયણમાં રાજા દશરથ બન્યા TV ના રામ, દીપિકા ચિખલિયા બોલી મારી સમજની બહાર

રામાનંદ સાગરની ‘રામાયણ’ (1987) માં, અરુણ ગોવિલે ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી હતી અને દીપિકા ચિખલિયાએ માતા સીતાની ભૂમિકા ભજવી હતી. દીપિકા ચિખલિયા અને અરુણ ગોવિલે તેમના અભિનયથી આ પાત્રોને અમર બનાવ્યા હતા. નિતેશ તિવારીની ‘રામાયણ’ પણ 2026 માં રિલીઝ થવાની છે. આ ફિલ્મ દિવાળી નિમિત્તે રિલીઝ થશે. તાજેતરમાં, નિર્માતાઓ દ્વારા ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો, જેનાથી દર્શકોમાં હલચલ મચી ગઈ છે. દરમિયાન, દીપિકા ચિખલિયાએ નિતેશ તિવારીની રામાયણ અને તેમાં અરુણ ગોવિલ દ્વારા ભજવવામાં આવેલા રાજા દશરથના પાત્ર વિશે વાત કરી.

મારો કોઈ સંપર્ક કર્યો નથી 
દીપિકા ચિખલિયાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે રણબીર કપૂરની ‘રામાયણ’નો ભાગ બનવા માટે તેમનો ક્યારેય સંપર્ક કરવામાં આવ્યો ન હતો. આ વિશે વાત કરતાં તેમણે કહ્યું, “આ માટે મારો ક્યારેય સંપર્ક કરવામાં આવ્યો ન હતો, મને લાગે છે કે તેમણે આ વિશે મારી સાથે વાત કરવાની પણ તકલીફ પણ ન કરી.” આ સાથે, દીપિકાએ નિતેશ તિવારીની રામાયણમાં રાજા દશરથનું પાત્ર ભજવતા અરુણ ગોવિલ પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
નિતેશ તિવારીની રામાયણમાં અરુણ ગોવિલના પાત્ર પર શુ બોલી દીપિકા 
દીપિકા ચિખલિયાએ કહ્યું- ‘તેમને (અરુણ ગોવિલ) રામ સિવાય બીજા કોઈ પાત્રમાં જોવું… મને ખબર નથી કે શું કહેવું. મેં હંમેશા તેમને રામના પાત્રમાં અને મને માતા સીતાના પાત્રમાં જોયા છે. મારા માટે, તેમને રાજા દશરથની ભૂમિકામાં જોવું મારી સમજની બહાર છે. પરંતુ, મને લાગે છે કે આ અરુણ ગોવિલજીની પોતાની પસંદગી છે. લોકોને કેવું લાગશે, તેમને દશરથ તરીકે જોવું એ ખૂબ જ વ્યક્તિગત લાગણી હશે. કોઈપણ પાત્રની છબી તોડવી ખૂબ મુશ્કેલ છે. જો તમે રામની ભૂમિકા ભજવી છે, તો તમે રામ છો.
રામાયણમાં બીજી કોઈ ભૂમિકા ભજવવા નથી  માંગતી દીપિકા ચિખલિયા 
દીપિકા ચિખલિયા પહેલાથી જ કહી ચૂકી છે કે તેણીએ રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવ્યું છે અને હવે તે બીજી કોઈ ભૂમિકા ભજવશે નહીં. પોતાના નિવેદનને પુનરાવર્તિત કરતા, તેણીએ કહ્યું કે જો તેણીને મહાભારત કે શિવ પુરાણમાં ભૂમિકા ઓફર કરવામાં આવે તો તે તેના વિશે વિચારી શકે છે. પરંતુ, તેણી રામાયણમાં બીજી કોઈ ભૂમિકા ભજવવા માંગતી નથી. 1987 માં, દીપિકા ચિખલિયા અને અરુણ ગોવિલે માતા સીતા અને ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી હતી અને તેમના પાત્રોને અપાર પ્રેમ મળ્યો હતો. લોકડાઉન દરમિયાન જ્યારે રામાનંદ સાગરની રામાયણ ફરીથી પ્રસારિત થઈ, ત્યારે તેણે TRP ની દ્રષ્ટિએ રેકોર્ડ તોડી નાખ્યા.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More