શુક્રવારે દિલ્હીમાં આયોજિત કોંગ્રેસ OBC નેતૃત્વ ન્યાય મહા સંમેલનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની પાસે હિંમત નથી. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે PM ક્યારેય ‘મોટી સમસ્યા’ નહોતા. PM મોદી પર સીધા પ્રહારો કર્યા બાદ, રાહુલ ગાંધી આજે ચોથી વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આણંદમાં નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે. તેમજ ગુજરાતના નવ નિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે પણ મુલાકાત કરશે. તેમજ ગુજરાતના નવ નિયુક્ત જિલ્લા પ્રમુખોને તાલીમ આવશે. જિલ્લાઓમાં સંગઠનને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી ચર્ચા કરશે. તેમજ પ્રદેશ સંગઠનમાં નવા ફેરફારને લઈને પણ નેતાઓ બેઠક કરશે. કોંગ્રેસના નેતાઓ વચ્ચેની નારાજગી દૂર કરવા માટે રાહુલ ગાંધી પ્રયાસ કરશે.

