આયરલેંડ વિરુદ્ધ તાજેતરમાં રમાયેલી બે મેચોની ટી20 શ્રેણીમાં 15 વર્ષના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને રમવાની તક ન મળી. આ વાતથી ક્રિકેટ ફેંસ ખૂબ નારાજ છે. હવે ભારતીય ટીમ ઈગ્લેંડ વિરુદ્ધ પાંચ મેચોની ટી-20 સીરિઝ રમવા જઈ રહી છે. આવામાં દરેક કોઈ એવુ જ વિચારી રહ્યુ છે કે શુ વૈભવને ડેબ્યુ ને લઈને સવાલ પૂછવામાં આવ્યો. જેના પર ઐય્યરે સીધે સીધો જવાબ આપીને સસ્પેંસ કાયમ રાખ્યુ છે.
વૈભવના ડેબ્યુને લઈને શ્રેયસ ઐય્યર શુ કહ્યુ ?
જ્યારે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન શ્રેયસ ઐયરને પૂછવામાં આવ્યું કે શું વૈભવ સૂર્યવંશી આ મેચમાં ડેબ્યૂ કરશે, ત્યારે તેમણે ટીમના આયોજનને ગુપ્ત રાખ્યું. ઐયરે કહ્યું, “અમારા હાથ બંધાયેલા છે, અને આ એક આંતરિક બાબત છે. અમે અમારી ટીમ કોમ્બિનેશન દરેકને જાહેર કરી શકતા નથી, કારણ કે તે વિરોધી ટીમને અમારી રણનીતિ જાહેર કરશે. વૈભવ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને જ્યારે પણ તેને તક મળશે ત્યારે તે શાનદાર પ્રદર્શન કરશે.”

