31.1 C
Rajkot
August 13, 2026
Saurashtra Satya
ભારત

અરવલ્લીમાં સરકારી નોકરીની ઉત્તમ તક: ભિલોડા અને મેઘરજ આદર્શ નિવાસી શાળામાં વોક-ઇન ઇન્ટરવ્યુથી થશે સીધી પસંદગી

અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાઓમાં તાસદીઠ શિક્ષકોની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર હસ્તકની પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા કુલ ૩ જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. સરકારી ક્ષેત્રમાં શિક્ષક તરીકે સેવા આપવા માંગતા અને યોગ્ય લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારો માટે આ એક આકર્ષક અને ઉત્તમ તક છે.

ખાલી જગ્યાઓ અને શૈક્ષણિક લાયકાત

આ ભરતી પ્રક્રિયા હેઠળ અંગ્રેજી (૧ જગ્યા), રસાયણ વિજ્ઞાન (૧ જગ્યા) અને ગુજરાતી-સામાજિક વિજ્ઞાન (૧ જગ્યા) માટે ઉમેદવારોની પસંદગી થશે. શૈક્ષણિક લાયકાત તરીકે સંબંધિત વિષયમાં સ્નાતક અથવા અનુસ્નાતક (BA, MA, BSc, MSc) સાથે B.Ed. ની પદવી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે, જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત TAT પરીક્ષા પાસ કરેલા અને અનુભવ ધરાવતા ઉમેદવારોને પસંદગીમાં વિશેષ અગ્રતા આપવામાં આવશે.

મહેનતાણું અને પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની લેખિત અરજી કરવાની રહેશે નહીં, પરંતુ સીધી પસંદગી વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. મહેનતાણાની વાત કરીએ તો, અંગ્રેજી અને ગુજરાતી-સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોને પ્રતિ તાસ  રૂ.75  આપવામાં આવશે, જ્યારે રસાયણ વિજ્ઞાન વિષયના શિક્ષકને પ્રતિ તાસ રૂ.90 ચૂકવવામાં આવશે.

ઇન્ટરવ્યુની તારીખ, સમય અને મહત્વની સૂચનાઓ

રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વોક-ઇન ઇન્ટરવ્યુ 14  ઓગસ્ટ 2026  ના રોજ બપોરે 12:00 વાગ્યે આદર્શ નિવાસી શાળા (કુમાર), ભિલોડા, જિલ્લો-અરવલ્લી ખાતે યોજાશે. ઇન્ટરવ્યુમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ પોતાના તમામ અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો અને તેની પ્રમાણિત નકલો (અટેસ્ટેડ કોપી) સાથે નિયત સમયે હાજર રહેવાનું રહેશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ઇન્ટરવ્યુ માટે જતા પહેલાં ભરતી સંબંધિત તમામ માહિતી ધ્યાનપૂર્વક ચકાસી લેવી.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More