Saurashtra Satya
મનોરંજન

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુનનું પહેલું નિવેદન બહાર આવ્યું, પરિવારને મળ્યો, ઈમોશનલ વીડિયો થયો વાયરલ

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને 14 ડિસેમ્બર 2024ના રોજ સવારે 7 વાગ્યે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, ત્યારબાદ તેની પ્રથમ ઝલક સામે આવી છે. ‘પુષ્પા 2’ એક્ટર દાઝી ગયાની બહાર આવતાની સાથે જ પહેલા તેની પત્ની અને બાળકોને મળ્યો અને પછી મહિલાના મૃત્યુ અંગે મૌન તોડ્યું. જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુનનું પહેલું નિવેદન ચર્ચામાં આવ્યું છે, જેમાં તેને કાયદાના સન્માન અને સંધ્યા થિયેટર સ્ટેમ્પેડ કેસમાં વાત કરતા સાંભળી શકાય છે. આટલું જ નહીં શનિવારે જેલમાંથી છૂટ્યા બાદ અભિનેતા અલ્લુએ પણ પોલીસ અધિકારીઓને અને કાયદાકીય કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવાનું વચન આપ્યું હતું.

 

મીડિયા સાથેની વાતચીતમાં અલ્લુ અર્જુને ચાહકોનો આભાર માનતા કહ્યું હતું કે ‘તમારા બધાના પ્રેમ અને સહયોગ માટે આભાર. મારા દરેક ચાહકનો આભાર પ્રગટ કરું છું. ચિંતાની કોઈ વાત નથી, હું એકદમ ઠીક છું. અમે કાયદામાં માનનારા નાગરિક છીએ અને કાર્યવાહીમાં સહયોગ આપીશું. ઘટના ખૂબ જ દુ:ખદ હતી, હું ફરીવાર પીડિત પરિવારને સાંત્વના પાઠવું છું.’
હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં એક સપ્તાહ સુધી કાતિલ ઠંડીની સંભાવના રહેશે. રાજ્યમાં હજુ આગામી 7 દિવસ ઠંડી ભુક્કા બોલાવશે. અંબાલાલ પટેલે આગામી 48 કલાક કોલ્ડવેવ સાથે કાતિલ ઠંડીની આગાહી કરી છે. 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું. અમદાવાદનું તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More