Bangladesh Government Crisis : બાંગ્લાદેશમાં શેખ હસીનની સરકાર પડ્યા પછી પણ પ્રદર્શનકારીઓની તાલિબાની કરતૂત સામે આવી છે. અહી જેસોરમાં સોમવારે એક હોટલમાં આગ લગાવી દેવામાં આવી. જેમા ઓછામાં ઓછા 8 લોકોના દાઝી જવાથી મોત થઈ ગયા અનેન 84 લોકો ઘાયલ થઈ ગયા. હોટલના માલિક જેસોર જીલ્લાના અવામી લીગના મહાસચિવ શાહીન ચકલાદાર હતા.
ડિપ્ટી કમિશ્નર અબરારુલ ઈસ્લામે આ ઘટનાની જાહેરાત કરી. મૃતકોમાંથી બે લોકોની ઓળખ 20 વર્ષીય ચયન અને 19 વર્ષીય સેજન હુસૈનના રૂપમાં થઈ. હોસ્પિટલના કર્મચારી હારુન રશીદે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 84 લોકોની ત્યાં સારવાર ચાલી રહી છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે. શહેરમાં વિવિધ સ્થળોએ હજારો લોકો પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાની ઉજવણી કરી રહ્યા હતા. ઉજવણી દરમિયાન કેટલાક લોકોએ ચિત્તમોર વિસ્તારમાં જબીર હોટલને આગ લગાડી અને તેનું ફર્નિચર તોડી નાખ્યું. દરમિયાન, બદમાશોએ જીલ્લા અવામી લીગની ઓફિસ અને શારશા અને બેનાપોલ વિસ્તારમાં વધુ ત્રણ અવામી લીગ નેતાઓના ઘરો પર હુમલો કર્યો હતો.

