દિલ્હીમાં લાલ કિલ્લાની સામે આતંકી ધમાકો કરી શકે છે, તેને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે જ ચાંદીની ચોક સ્થિત મંદિરને પણ આતંકી નિશાન બનાવી શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ લશ્કર એ તૈયબા એક્ટિવ છે અને IED હુમલાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરીનારોજ પાકિસ્તાનના ઈસ્લામાબાદના મસ્જિદમાં થયેલા વિસ્ફોટનો બદલો લેવા માટે લશ્કર ભારતમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની કોશિશમાં છે. દેશના મોટા મંદિર લશ્કર એ તૈયબાના નિશાના પર છે. આ ઘટના ગુપ્ત એજંસીઓ દ્વારા એક મહિન પહેલા જાહેર કરવામા આવેલી ચેતાવણી પછી સામે આવી છે. જેમા કહેવામાં આવ્યુ છે કે ખાલિસ્તાની આતંકવાદી સંગઠન અને બાંગ્લાદેશ સ્થિત આતંકી સંગઠણ ગણતંત્ર દિવસ પહેલા દિલ્હી અને દેશના અનેક શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે.

