Saurashtra Satya
ભારત

પપ્પા હુ ફ્લાઈટમાં બેસી ગયો – અંતિમ મેસેજ આજે પણ સંભળાય છે… અમદાવાદ પ્લેન ક્રેશની પહેલી વરસી, પરિવારના આંસુ થમતા જ નથી

ગયા વર્ષે 12 જૂન, 2025 ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા રવાના થયેલું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ મેડિકલ કોલેજ કેમ્પસમાં તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં 260 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આજે આ કાળઝાળ ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં, પોતાના વહાલા સભ્યો ખોજનારા પરિવારોના આંસુ હજુ પણ સુકાયા નથી અને તેમના હૃદયમાં આ આઘાત આજે પણ એટલો જ તાજો છે.

પીડિત પરિવારોમાં હવાઈ મુસાફરીનો ભારે ફફડાટ

આ ભયાનક હોનારતમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા પછી, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171ના મુસાફરોના પરિવારો હજુ પણ આ અકસ્માતના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. અકસ્માતની એટલી ગંભીર માનસિક અસર થઈ છે કે કેટલાક લોકો હવે વિમાનમાં બેસતા પણ ગભરાઈ રહ્યા છે, જ્યારે અન્ય લોકો આ ગંભીર માનસિક તણાવ અને ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે પ્રોફેશનલ કાઉન્સેલિંગનો સહારો લઈ રહ્યા છે.

દીવના રફીક આરબે 25  વર્ષનો જુવાનજોધ પુત્ર ગુમાવ્યો

દીવના રહેવાસી રફીક આરબે આ કમનસીબ અકસ્માતમાં પોતાનો ૨૫ વર્ષનો દીકરો ફૈઝાન ગુમાવ્યો હતો. ફૈઝાન યુકે (UK) માં ઇસ્લામિક અભ્યાસ કરતો હતો અને દીવમાં પોતાના પરિવારને મળીને પાછો લંડન જઈ રહ્યો હતો. ફ્લાઇટ ઉપડતા પહેલાં તેણે તેના પિતાને છેલ્લો મેસેજ કર્યો હતો કે, “પપ્પા, હું ફ્લાઇટમાં છું અને હું જઈ રહ્યો છું.” આ છેલ્લો સંદેશા બાદ ફૈઝાન ક્યારેય પાછો ન ફર્યો, જે તેમના પરિવાર માટે ક્યારેય ન પુરાનારી ખોટ બની ગયો છે.

આકાશમાં ઉડતા વિમાનનો અવાજ પણ ધ્રુજારી પેદા કરે છે

પુત્રના અવસાન બાદ રફીકભાઈ અને તેમનો પરિવાર એટલા ડરી ગયા છે કે તેમણે ત્યારથી ક્યારેય વિમાન પ્રવાસ કર્યો જ નથી. તે દિવસને યાદ કરતાં રફીકભાઈ ભાવુક થઈને કહે છે કે, કોઈને અંદાજ નહોતો કે આ ફૈઝાનનો છેલ્લો મેસેજ હશે. આજે પણ જ્યારે ઘરની ઉપરથી કોઈ વિમાન પસાર થાય છે, ત્યારે તેનો અવાજ આખા પરિવારને ધ્રુજાવી મૂકે છે અને તે કાળમુખી ક્ષણની યાદ અપાવે છે જેમાં ૨૬૦ લોકો હોમાઈ ગયા હતા. ફૈઝાનની માતા અને બે નાના ભાઈઓ આજે પણ તેની ખોટમાં ઝૂરી રહ્યા છે.

સુરતની મુક્તિએ પોતાના માતા-પિતા બંને છીનવી લીધા

આ જ દુર્ઘટનાએ સુરતની રહેવાસી મુક્તિ વાંસદિયાના માથા પરથી માતા-પિતા બંનેનો સાયો કાયમ માટે છીનવી લીધો. તેના 60 વર્ષના માતા દિવ્યાબેન અને ૬૫ વર્ષના પિતા અર્જુન સિંહ તેમની જિંદગીમાં પહેલીવાર વિદેશ પ્રવાસ માટે વિમાનમાં બેઠા હતા. તેઓ લંડનમાં રહેતી તેમની મોટી દીકરીને મળવા માટે બાળકોની જેમ ઉત્સાહિત હતા. મુક્તિએ તેમને હિંમત આપતા કહ્યું પણ હતું કે જો વિમાનમાં સહેજ ધક્કો લાગે તો ડરતા નહીં, બધું સારું થઈ જશે.

વિદાય વેળાએ પિતાના આશીર્વાદ લેવાની એ છેલ્લી ક્ષણ

તેમના માતા-પિતાએ મુસાફરીમાં સરળતા રહે અને ગુજરાતી બોલતા મુસાફરોનો સાથ મળે તે માટે ખાસ અમદાવાદની આ ફ્લાઇટ પસંદ કરી હતી. એરપોર્ટ પરની છેલ્લી ક્ષણોને યાદ કરતા મુક્તિ કહે છે કે, મેં ભૂલથી ફક્ત માતાના જ પગ સ્પર્શ કર્યા હતા અને પિતાના પગે લાગવાનું ભૂલી ગઈ હતી. પરંતુ હું તરત પાછી દોડી, પિતાના આશીર્વાદ લીધા અને તેમણે મારી પીઠ થપથપાવી. એ સ્પર્શ એવો હતો જાણે તે મને ભવિષ્યના કોઈ મોટા સંઘર્ષ કે યુદ્ધ માટે તૈયાર કરી રહ્યા હોય.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More