Saurashtra Satya
ભારત

 PMએ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ સમર્પિત કર્યા

પ્રધાનમંત્રીએ હરિયાણાના લોકોને 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ સમર્પિત કર્યા-યમુનાનગરમાં દીનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટ ખાતે 800 મેગાવોટના ત્રીજા યુનિટનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના લોકોને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ સમર્પિત કર્યા. ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે, શ્રી મોદીએ યમુનાનગરમાં દીનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટ ખાતે 800 મેગાવોટના ત્રીજા યુનિટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ હાલના પ્લાન્ટનું વિસ્તરણ છે આ પ્રોજેક્ટ 52 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, અને માર્ચ 2029 સુધીમાં 48 મહિનામાં વ્યાપારી કામગીરી શરૂ થવાની ધારણા છે. આ નવા યુનિટ સાથે, હરિયાણાની ઇન-હાઉસ વીજ ઉત્પાદન ક્ષમતા વધીને ત્રણ હજાર 382 મેગાવોટ થશે.(બાઈટ- નરેન્દ્ર મોદી… GRID ..PM01-7.45 AM NEWS)

 

તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ હિસારમાં મહારાજા અગ્રસેન એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો અને એરપોર્ટથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે 2014 પહેલા દેશભરમાં ફક્ત 70 એરપોર્ટ હતા. તેમણે ઉમેર્યું કે, હવે દેશમાં કુલ એરપોર્ટની સંખ્યા ૧૫૦ ને વટાવી ગઈ છે.(બાઈટ- નરેન્દ્રમોદી AIR PORT PM MODI 02- 7.45 AM NEWS)  આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ યમુનાનગરમાં 90 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગોબર ધન પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો. આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2 હજાર 600 મેટ્રિક ટન કોમ્પ્રેસ્ડ બાયોગેસ હશે. શ્રી મોદીએ રેવાડી બાયપાસનું પણ ઉદ્ઘાટન કર્યું, જે એક હજાર 69 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. બાયપાસ પ્રોજેક્ટ ભારતમાલા યોજના હેઠળ હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર વિકસાવવામાં આવ્યો છે. રેવાડી શહેરની આસપાસ ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે આ ચાર-લેન બાયપાસ બનાવવામાં આવ્યો

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More