સુરતના ભાઠેના વિસ્તારમાં સગાસંબંધીઓના સંબંધોને શર્મસાર કરતી અને ક્રૂરતાની હદ વટાવતી એક ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. ધંધાના હિસાબ અને પૈસાની લેતી-દેતીના વિવાદમાં મામાએ પોતાના જ ભાણેજની હત્યા કરી નાખી. એટલું જ નહીં, હત્યા બાદ પુરાવા છુપાવવા માટે આરોપી મામાએ લાશના સાત ટુકડા કરીને મીઠી ખાડીમાં ફેંકી દીધા હતા.
આપણા સમાજમાં મામા અને ભાણેજના સંબંધને ખૂબ જ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે એક ભાણેજને જમાડવાથી 100 બ્રાહ્મણોને જમાડ્યા બરોબરનું પુણ્ય મળે છે. પરંતુ સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે મામા અને ભાણેજના સંબંધને કલંકિત કરી છે. જી હા સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભાઠેના ખાતેથી એવી ચોકાવનારી ઘટના સામે આવી છે જે સાંભળીને સૌ કોઈના રુવાડા ઊભા થઈ જશે. આ ઘટનામાં ખુદ મામા એ તેના ભાણેજની નિર્મમ હત્યા કરી નાખી છે. એટલું જ નહીં પરંતુ હત્યા કરીને મામાએ તેના ભાણેજના શરીરના સાત ટુકડા કરી તેને થેલામાં ભરી ખાડીમાં નાખી દીધા
પોલીસે તેની ઉલટ તપાસ અને પૂછપરછ શરૂ કરી હતી. દરમિયાન મામાએ તેના ભાણેજ ની હત્યા કર્યાની કબુલાત કરી દીધી હતી. પોલીસે હત્યા કરનાર મામા મહંમદ ઈતીકારની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

