Saurashtra Satya
દુનિયા

નેપાળના PM કેપી શર્મા ઓલીના રાજીનામાં પછી નેપાળનું હવે શું થશે ? હવે કોણ ચાર્જ સંભાળશે

ભારતના પાડોશી દેશ નેપાળમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલો વિરોધ સોમવારે હિંસક બન્યો. પોલીસે યુવાનોના ટોળા પર ગોળીબાર કર્યો જેમાં લગભગ 21 લોકો માર્યા ગયા. તે જ સમયે, 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે કેપી ઓલી દેશ છોડીને ભાગી શકે છે.

 નેપાળના મુખ્ય શહેરોમાં તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો થયા હતા. વિરોધીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા અને આગ લગાવી હતી.  આ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ, શેર બહાદુર દેઉબા, ગઈકાલે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપનારા રમેશ લેખક અને સંદેશાવ્યવહાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગના ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
હવે કોણ ચાર્જ સંભાળશે, આગળ શું થશે?
મળતી માહિતી મુજબ, નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ દેશની કમાન નાયબ વડા પ્રધાનને સોંપી દીધી છે. જોકે, વિરોધીઓનું કહેવું છે કે દેશમાં વચગાળાની સરકાર બનાવવી જોઈએ. આ ઉપરાંત, સંસદ ભંગ કરીને નવેસરથી ચૂંટણી કરાવવાની પણ માંગ છે.
મંત્રીઓ, નેતાઓના ઘરો પર હુમલા ચાલુ છે
સોમવારે વિરોધ કરી રહેલા યુવાનો પર ગોળીબાર કર્યા બાદ વિરોધ વધુ તીવ્ર બન્યો હતો. મંગળવારે, વિરોધીઓએ દેશના મંત્રીઓ અને નેતાઓના ઘરો પર હુમલા વધુ તીવ્ર બનાવ્યા હતા. નેપાળમાં યુવા વિરોધીઓનું ટોળું પીએમ ઓલીના ઘર તરફ આગળ વધ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષી નેતા પુષ્પ કમલ દહલ (પ્રચંડ) ના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. નેપાળી કોંગ્રેસ પ્રમુખ દેઉબાના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે. ગૃહ પ્રધાનના ઘરને આગ ચાંપી દેવામાં આવી છે અને સંદેશાવ્યવહાર પ્રધાનના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી છે.
અનેક મંત્રીઓએ આપ્યા રાજીનામાં
ઉલ્લેખનિય છે કે નેપાળ સરકારના ઘણા મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમાં નેપાળના કૃષિ મંત્રી રામનાથ અધિકારીએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાણી પુરવઠા મંત્રી પ્રદીપ યાદવ પણ રાજીનામું આપી રહ્યા છે. નેપાળમાં શેખર કોઈરાલા (નેપાળ કોંગ્રેસ) જૂથના મંત્રીઓ રાજીનામા આપી રહ્યા છે. સોમવારે અગાઉ, નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે હિંસક વિરોધ પ્રદર્શનોની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું હતું.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More