Saurashtra Satya
ગુજરાત

અમદાવાદ એક્સિડેન્ટ પછી રવિના ટંડને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કરી મુસાફરી, કર્યા વખાણ તો લોકોને આવ્યો ગુસ્સો બોલ્યા, ‘આને પૈસા મળ્યા હતા શું’

બોલીવુડ અભિનેત્રી રવિના ટંડને તાજેતરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરી હતી અને તે અનુભવને તેણીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કર્યો હતો. પરંતુ આ પોસ્ટે ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી હતી, ખાસ કરીને કારણ કે આ પોસ્ટ 12 જૂને અમદાવાદમાં AI171 ના મોટા અકસ્માતના થોડા દિવસો પછી જ કરવામાં આવી હતી. અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, લોકોને રવિનાની એર ઇન્ડિયા વિશેની પોસ્ટ પસંદ ન આવી.

 

રવિનાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હંમેશા સુરક્ષિત રહો @airindia અને ફ્લાઇટ ક્રૂના સ્મિતમાં છુપાયેલા ઉદાસીનો પણ ઉલ્લેખ કર્યો’. તેણીએ લખ્યું કે ફ્લાઇટનું વાતાવરણ ખૂબ જ ગંભીર હતું, અને ક્રૂના હસતા ચહેરામાં પણ ઉદાસી દેખાતી હતી.
લોકો રવિના ટંડનને ટ્રોલ કરી રહ્યા છે
કેટલાક લોકોને રવિનાની પોસ્ટ ગમી. તેઓએ તેને ક્રૂ અને મુસાફરો માટે પ્રોત્સાહન માન્યું કે આટલા મોટા અકસ્માત પછી પણ ક્રૂ સંપૂર્ણ પ્રામાણિકતાથી પોતાનું કામ કરી રહ્યું છે. પરંતુ ઘણા લોકોને આ પોસ્ટ ગમી નહીં. રેડિટ પર ઘણા  યુઝર્સે એ તેને “અસંવેદનશીલ” અને “પેઇડ પ્રમોશન” ગણાવ્યું.
રવિના ટંડન પર પેઇડ પ્રમોશનનો આરોપ
એક રેડિટ યુઝરે રવિના ટંડનની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, ‘આ ખૂબ ખોટું છે’. એક યુઝરે લખ્યું, “આટલો ભયંકર અકસ્માત થયો છે, અને તે એર ઇન્ડિયાનું પ્રમોશન કરી રહી છે? તે થોડા દિવસો રાહ જોઈ શકી હોત.” બીજાએ લખ્યું, “લોકોના ઘરો બરબાદ થઈ ગયા છે, અને તે પ્રચારની ચિંતા કરે છે.”
સોશિયલ મીડિયા યુઝર્સને રવિના ટંડન પર ગુસ્સો આવ્યો અને તેમને આરોપ લગાવ્યો કે તે  પૈસા માટે પેઇડ પ્રમોશન કરી રહી છે. લોકોએ અભિનેત્રીની ટીકા પણ કરી કે તેને પૈસા મળ્યા છે પરંતુ તેને ધ્યાન રાખવું જોઈએ કે હજુ તો ઘણા લોકોના સબધીઓની ડેડ બોડીની ઓળખ પણ થઈ નથી આવામાં તેની આ  પોસ્ટ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 300 લોકો પ્રત્યે અસંવેદનશીલ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ કોમેડિયન વીર દાસે પણ એર ઈન્ડિયાના ક્રૂની પ્રશંસા કરતી પોસ્ટ પોસ્ટ કરી હતી અને તેમને “આકાશમાં શ્રેષ્ઠ ક્રૂ” ગણાવ્યા હતા.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More