Saurashtra Satya
ભારત

હાસનમાં 40 દિવસમાં હાર્ટ એટેકથી 22 મોત, અહી 2 વર્ષમાં 507 હાર્ટ એટેકમાં 190 લોકોના મોત

heart attack
હાસન. (કર્ણાટક) કર્ણાટકના હાસન જીલ્લામાં છેલ્લા 40 દિવસોમાં હાર્ટ એટેકથી 22 લોકોના મોક્તે સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને સામાન્ય લોકો વચ્ચે હડકંપ મચાવી દીધો છે. તેમાથી અનેક મૃતક યુવા અને મઘ્યમ આયુ વર્ગના હતા. જેમા 19 થી 25 વર્ષની વયમાં પાંચ લોકો સામેલ છે. આ મોતોએ કોવિડ-19 વેક્સીનની સુરક્ષા પર સવાલ ઉભો કર્યો છે. જે બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રસીની મંજૂરી અને વિતરણને ઉતાવળિયું પગલું ગણાવ્યું અને તેની તપાસની માંગ કરી. જોકે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અને નિષ્ણાત ડોકટરોએ આ દાવાઓને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે રસી અને હૃદયરોગના હુમલા વચ્ચે કોઈ વૈજ્ઞાનિક સંબંધ નથી.
હાસનમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો –   હાસન જીલ્લામાં હાલના અઠવાડિયામાં હાર્ટ અટેકથી થનારા મોતને બધાએ ચોંકાવી દીધા છે. તાજો મામલો હોલેનરસીપુર તાલુકાના સોમનહલ્લી ગામનો છે. જ્યા નવવિવાહિત યુવક સંજુનુ અચાનક હાર્ટ એટેકથી મોત થઈ ગયુ.  આ જ રીતે 22 વર્ષની એક યુવતી અને 37 વર્ષના ઓટો ચાલક ગોવિંદાને પણ છાતામાં દુ:ખાવા બાદ મોત થઈ ગયુ. હાસન સ્વાસ્થ્ય વિભાગ મુજબ છેલ્લા 2 વર્ષમાં 507 લોકોને હાર્ટ એટેકના મામલા સામે આવ્યા છે. જેમા 190 લોકોના મોત થઈ ચુક્યા છે.  તેમાથી મોટાભાગના કેસ કોઈપણ પૂર્વ લક્ષણ વગર જ બન્યા છે. જેણે ચિંતાને વધુ વધારી દીધી છે.
મુખ્યમંત્રીનુ નિવેદન અને તપાસનો આદેશ – કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ મોતો પર ઊંડી ચિતા વ્યક્ત કરતા કહ્યુ, “કોવિડ વેક્સીનને ઉતાવળમાં મંજુરી અને તેનુ વિતરણ આ મોતોનુ એક કારણ હોઈ શકે છે. વૈશ્વિક શોધમાં પણ વેક્સીન અને હાર્ટ એટેકની વચ્ચે સંભવિત સંબંધ ની વાત સામે આવી છે. તેમણે આ મામલાની ઊંડી તપાસ માટે જયદેવ હ્રદય વિજ્ઞાન સંસ્થાના નિદેશક ડૉ. રવિન્દ્રનાથની અધ્યક્ષતામાં એક વિશેષજ્ઞ સમિતિની રચના કરી છે. જેને 10 દિવસની અંદર પોતાની રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. સીએમે જનતાને અપીલ કરી છે કે છાતીમાં દુખાવાની કેશ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણ દેખાય તો તરત જ નિકટના સ્વાસ્થ્ય કેન્દ્રમાં તપાસ કરાવો.
કોવિડ રસી પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર ICMR એ શું કહ્યું?
ICMR અને AIIMS અભ્યાસ: રસીને ક્લીન ચિટ આપવામાં આવી આ દાવાઓના જવાબમાં, ICMR અને ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) એ એક વ્યાપક અભ્યાસના પરિણામો જાહેર કર્યા જેમાં કોવિડ-19 રસી અને હૃદયરોગના હુમલા વચ્ચે કોઈ જોડાણ નકારી કાઢવામાં આવ્યું હતું. મે અને ઓગસ્ટ 2023 દરમિયાન 19 રાજ્યોની 47 હોસ્પિટલોમાં હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં 18 થી 45 વર્ષની વયના લોકોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જેઓ સ્વસ્થ દેખાતા હતા પરંતુ ઓક્ટોબર 2021 અને માર્ચ 2023 વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જીવનશૈલી, આનુવંશિક કારણો, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોવિડ પછીની ગૂંચવણો જેવી પહેલાથી અસ્તિત્વમાં રહેલી રોગો આ મૃત્યુ માટે જવાબદાર છે, રસી નહીં.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા કરવામાં આવેલા અભ્યાસોને પણ ટાંકીને કહ્યું કે, “કોવિડ રસી સંપૂર્ણપણે સલામત છે અને તેની ગંભીર આડઅસરો અત્યંત દુર્લભ છે. વૈજ્ઞાનિક આધાર વિના રસીને દોષ આપવો એ ગેરમાર્ગે દોરનારું છે અને રસીમાં લોકોનો વિશ્વાસ ઘટાડી શકે છે.”
ડોક્ટરોનો અભિપ્રાય: જીવનશૈલી અને જાગૃતતા પર ભાર – હાસનના ડોક્ટરો અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ આ મોત પાછળ કોઈ સંભવિત કારણોની તરફ ઈશારો કર્યો છે. બેંગલુરુના ડૉ. રવિન્દ્રનાથએ જણાવ્યું “હાસનમાં હાર્ટ એટેકના કેસ પાછળ આનુવંશિક પરિબળો, તણાવ, ખરાબ ખાવાની હેબિટ અને બેઠાડુ જીવનશૈલી મુખ્ય કારણો હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, કોવિડ-19 પછી હાર્ટના સ્નાયુઓને અસર થઈ છે, પરંતુ રસીનો તેમાં કોઈ ફાળો નથી,” જયદેવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર સાયન્સ
ડોક્ટરોએ લોકોને નિયમિત આરોગ્ય તપાસ, સંતુલિત આહાર, કસરત અને તણાવ વ્યવસ્થાપન કરાવવાની સલાહ આપી છે. તાજેતરના અઠવાડિયામાં હાસનમાં હૃદયના દર્દીઓની સંખ્યામાં 8% નો વધારો જોવા મળ્યો છે, ઘણા લોકો સાવચેતી તપાસ માટે હોસ્પિટલોમાં દોડી રહ્યા છે.
સરકારી પહેલ અને જનતાને અપીલ કર્ણાટક સરકારે હૃદય રોગોના વહેલા નિદાન માટે ‘હૃદય જ્યોતિ’ અને ‘ગૃહ આરોગ્ય’ જેવી યોજનાઓ શરૂ કરી છે. આરોગ્ય મંત્રાલયે લોકોને ખોટી માહિતી પર ધ્યાન ન આપવા અને રસીના ફાયદાઓને સમજવા માટે પણ વિનંતી કરી છે, જેણે રોગચાળા દરમિયાન લાખો લોકોના જીવ બચાવ્યા હતા.
હાસનમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થવાથી ચિંતા વધી છે, ત્યારે ICMR અને ડોકટરોના સ્પષ્ટ અભિપ્રાયથી કોવિડ રસી અંગે ઉભા થઈ રહેલા પ્રશ્નો પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ થયો છે. નિષ્ણાત સમિતિના અહેવાલ અને પોસ્ટમોર્ટમના પરિણામોથી આ બાબતમાં વધુ સ્પષ્ટતા આવવાની અપેક્ષા છે. ત્યાં સુધી, આરોગ્ય નિષ્ણાતો અને સરકાર બંને લોકોને સતર્ક રહેવા અને નિયમિત આરોગ્ય તપાસ કરાવવા વિનંતી કરી રહ્યા છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More