Saurashtra Satya
ભારત

ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 100% ટૈરિફની ધમકી, પાકિસ્તાનને કહ્યુ આભાર – જાણો શુ છે આખો મામલો ?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી પોતાના નિવેદનોથી દુનિયાનુ ધ્યાન ખેંચ્યુ છે. આ વખતે નિશાના પર ભારત છે. ટ્રમ્પે એલાન કર્યુ છે કે ભારત અમેરિકા પાસેથી 100% થી વધુ ટૈરિફ વસૂલે છે અને હવે અમેરિકા પણ ભારત વિરુદ્ધ એ જ પ્રકારનુ પગલુ ઉઠાવશે. એટલે કે 2 એપ્રિલ 2025થી ભારત પર પણ 100% ટૈરિફ લગાવવામાં આવશે.  આ સાથે જ તેમણે પાકિસ્તાનના વખાણ કરતા તેનો આભાર કહ્યુ. આવો આ સમગ્ર મામલાને વિસ્તારથી સમજીએ.

 ટ્રમ્પનુ એલાન – ભારત પર ટૈરિફની માર : ટ્રમ્પે આ વાત અમેરિકી સંસદના જોઈંટ સેશનમાં પોતાના લાંબા ભાષણ દરમિયાન કહી. આ ભાષણ 1 કલાક 44 મિનિટ સુધી ચાલુ જે તેમને છેલ્લા કાર્યકાળના 1 કલાકના ભાષણથી ખૂબ લાંબુ હતુ. ભાષણની શરૂઆત તેમણે ‘અમેરિકા ઈઝ બૈક’ એટલે કે ‘અમેરિકા નો સમય પાછો આવી ગયો છે’ ના નારા સાથે કરી. ટ્રમ્પે દાવો કર્યો કે તેમના નવા કાર્યકાળના 43 દિવસમાં તેમણે એ કરી બતાવ્યુ જે અનેક સરકારોએ પોતાના 4 થી 8 વર્ષના કાર્યકાળમાં પણ ન કરી શકી.
પણ સૌથી ચૌકાવનારી વાત હતી ભારત પર ટૈરિફનુ એલાન. ટ્રમ્પનુ કહેવુ છે કે ભારત અમેરિકી સામાનો પર ભારે ટૈરિફ લગાવે છે જેનાથી અમેરિકી અર્થવ્યવસ્થાને નુકશાન થાય છે. હવે તેઓ ‘જૈસે કો તૈસા’ ની નીતી અપનાવવા જઈ રહ્યા છે.  જેનો મતલભ છે કે ભારતથી આવનારા સામાનો પર પણ અમેરિકા 100% સુધી ટૈરિફ લાગી શકે છે.  આ પગલુ બંને દેશોના વ્યાપારિક સંબંધોને પ્રભાવિત કરી શકે છે.
પાકિસ્તાનને કેમ કહ્યુ ‘આભાર’ ? ટ્રમ્પે પોતાના ભાષણમાં પાકિસ્તાનના વખાણ પણ કર્યા. તેમણે કહ્યુ કે 2021માં અફગાનિસ્તાનમાં થયેલા  એક આતંકી હુમલામાં 13 અમેરિકી સૈનિક માર્યા ગયા હતા. આ હુમલાના જવાબદાર આતંકવાદીઓને પકડવામાં પાકિસ્તાન સરકારે અમેરિકાની મદદ કરી. ટ્રમ્પે આને એક સકારાત્મક પગલુ બતાવઆ પાકિસ્તાનનો આભાર માન્યો.  આ નિવેદન ભારત માટે આશ્ચર્યજનક રહી શકે છે. કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તનાવ કોઈનાથી છુપાયો નથી.
ભારતની પ્રતિક્રિયા: પીયૂષ ગોયલની અમેરિકા મુલાકાત, ટ્રમ્પની જાહેરાત બાદ ભારત સરકારમાં ખળભળાટ મચી ગયો છે. ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે તેમની બધી બેઠકો રદ કરી અને અચાનક અમેરિકા જવા રવાના થઈ ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોયલ 8 માર્ચ, 2025 સુધી અમેરિકામાં રહેશે અને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે વાતચીત કરશે. તેમનો ઉદ્દેશ્ય અમેરિકાના આ “પારસ્પરિક ટેરિફ” નિર્ણય પર સ્પષ્ટતા મેળવવાનો અને ભારત માટે કેટલીક છૂટછાટો મેળવવાનો છે.
ભારત ઔદ્યોગિક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા તૈયાર છે પરંતુ કૃષિ ઉત્પાદનો પર કોઈપણ પ્રકારની છૂટછાટ આપવાની વિરુદ્ધ છે. સરકાર માને છે કે આનાથી ભારતના લાખો ગરીબ ખેડૂતોની આજીવિકા પર અસર પડશે. આ મુદ્દો બંને દેશો વચ્ચે ચર્ચાનો સૌથી મોટો કેન્દ્રબિંદુ બની શકે છે.
તેની અસર શું થશે? જો અમેરિકા ભારત પર 100% ટેરિફ લાદે છે, તો તેની અસર બંને દેશો વચ્ચેના વેપાર પર પડશે. ભારતમાંથી અમેરિકામાં ઓટોમોબાઈલ પાર્ટ્સ, કાપડ અને ફાર્માસ્યુટિકલ્સ જેવી ચીજવસ્તુઓની નિકાસ થાય છે. બીજી બાજુ, ભારત અમેરિકા પાસેથી ટેકનોલોજીકલ ઉપકરણો અને ઉર્જા ઉત્પાદનો મેળવે છે. આ ટેરિફ યુદ્ધ માલના ભાવમાં વધારો કરી શકે છે અને બંને દેશોની અર્થવ્યવસ્થા પર દબાણ લાવી શકે છે.
ટ્રમ્પનું આ નિવેદન માત્ર ભારત-અમેરિકા સંબંધો માટે પડકાર નથી પણ વૈશ્વિક વેપારમાં નવી ચર્ચા પણ શરૂ કરી શકે છે. બીજી બાજુ, પાકિસ્તાનની પ્રશંસાએ આ બાબતને વધુ રસપ્રદ બનાવી દીધી છે. હવે બધાની નજર પિયુષ ગોયલની અમેરિકા મુલાકાત અને ભારતની રણનીતિ પર ટકેલી છે. શું ભારત આ ટેરિફ કટોકટીમાંથી બહાર નીકળી શકશે? આવનારા દિવસોમાં આ સ્પષ્ટ થઈ જશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More