Saurashtra Satya
ભારત

Ajit Pawar Wife And Family : શુ કરે છે અજીત પવારની પત્ની અને પુત્રો ?

મહારાષ્ટ્ર ડિપ્ટી સીએમ અજીત પવારના મોત પછી પરિવાર ચર્ચામાં

બારામતીમાં લૈંડિંગ દરમિયાન વિમાન દુર્ગટનાના સમાચારે આખા મહારાષ્ટ્રને હલાવી દીધુ છે. ડિપ્ટી સીએમ અને એનસીપી નેતા અજીત પવારને લઈને આવેલી રિપોર્ટ્સ પછી રાજનીતિની સાથે સાથે તેમના વ્યક્તિગત જીવનને લઈને પણ લોકોની જીજ્ઞાસા વધી ગઈ છે. લોકો જાણવા માંગે છે કે તેમના પરિવારમાં કોણ-કોણ છે અને તેમની પત્ની શુ કરે છે.

અજીત પવારની ફેમિલીમાં કોણ-કોણ ?

અજીત પવારનો પરિવાર સંખ્યામાં સીમિત છે, પણ સાર્વજનિક જીવનમાં તેમની હાજરી હંમેશા સ્પષ્ટ દેખાય છે. અજીત પવાર સાથે તેમની પત્ની સુનેત્રા પવાર અને બે બાળકો પાર્થ અને જય પરિવારનો ભાગ છે. તેઓ મોટેભાગે રાજનીતિક અને સામાજીક કાર્યક્રમોમાં પરિવાર સાથે જોવા મળતા હતા, જેમા તેમની પારિવારિક છબિ પણ મજબૂત બની રહી. બારામતીમાં પવાર પરિવારને ફક્ત એક રાજનીતિક પરિવાર નથી, પરંતુ એક ઓળખના રૂપમાં જોવામાં આવે છે.

કોણ છે અજીત પવારની પત્ની સુનેત્રા પવાર, શુ કરે છે ?

અજીત પવારની પત્ની સુનેત્રા પવાર, પૂર્વ મંત્રી પદ્મસિંહ પાટિલની પુત્રી છે. તે સામાજીક કાર્યો અને ક્ષેત્રીય કાર્યક્રમોમાં સક્રિય રહે છે. તે એનસીપી સાથે જોડાયેલ રહી અને મહારાષ્ટ્રથી રાજ્યસભા સાંસદના રૂપમાં પણ કામ કરી રહી છે, એવી રિપોર્ટ્સ સામે આવી છે. તેઓ બારામતી ટેક્સટાઇલ કંપનીના અધ્યક્ષ પણ છે અને, પર્યાવરણીય ફોરમ ઓફ ઇન્ડિયાના સીઈઓ તરીકે, સામાજિક અને પર્યાવરણીય કાર્યોમાં સક્રિય રહ્યા છે. ચૂંટણી  સમયે તેઓ અજિત પવાર સાથે રેલીઓ અને જનસંપર્ક ઝુંબેશમાં જોવા મળતા હતા, જે તેમની રાજકીય સમજ અને સક્રિયતાનું સ્પષ્ટ પ્રદર્શન કરે છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More