Saurashtra Satya
ભારત

Baby Names: પોતાના પુત્ર માટે અહીથી પસંદ કરો ઋગ્વેદથી પ્રેરિત નામ, સાથે જ જાનો તેનો અર્થ

Baby Names: જ્યારે આપણા ઘરમાં એક બાળકનો જન્મ થાય છે તો એવામાં આપણી જવાબદારીઓ અનેક ઘણી વધી જાય છે.  તેમાથી આ બાળક માટે એક નામ શોધવુ સૌથી મોટી જવાબદારી છે.  અનેક લોકોને લાગતુ હશે કે બાળકો માટે એક નામ પસંદ કરવુ ક્યાથી મુશ્કેલ છે આ તો એક સાધારણ કામ છે પણ જો હકીકતમાં જોવામાં આવે તો અવુ બિલકુલ પણ નથી. બાળકો માટે એક યોગ્ય નામ પસ&દ કરવુ એક જવાબદારીથી ભરેલુ કામ  છે. આજનુ આ આર્ટીકલ એ માતા-પિતા માટે ખૂબ કામનુ સાબિત થવાનુ છે જેમના ઘરે એક પુત્રનો જન્મ થયો છે. આજે અમે તમારે માટે ઋગ્વેદથી પ્રેરિત બાળકોના નામોનુ લાંબુ લિસ્ટ લઈને આવ્યા છે. જેમાથી તમે તમારા પુત્ર માટે કોઈપણ એક નામ પસંદ કરી શકો છો. તો ચાલો આ લિસ્ટ પર નાખીએ એક નજર.

તમારા પુત્ર માટે ઋગ્વેદથી પ્રેરિત નામ
અભિર – આ નામનો અર્થ થાય છે કોઈ એવો જે આકાશ કે પછી સૂર્યના પુત્રથી ગભરાતો નથી
અંગદ – બલિના પુત્રને અંગદ નામથી ઓળખવામાં આવતો હતો.
આરવ – આ નામનો અર્થ થાય છે શાંત
અરિંજય – આ નામનો અર્થ થાય છે કૃષ્ણનો પુત્ર
આરુષ – આ નામનો અર્થ થાય છે સૂર્યની પહેલી કિરણ
આર્યન – આ નામનો અર્થ થાય છે આર્ય યોદ્ધાનો પુત્ર
અભિમન્યુ – આ નામનો અર્થ થાય છે અર્જુનનો પુત્ર
આયુષ – આ નામનો અર્થ થાય છે જીવતો રહે, ખુશ રહે, અમર રહે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More