રાજ્ય સરકાર સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં પ્રતિબદ્ધ છે. રાજકોટમાં શહેરી વિકાસ માટે 565 કરોડ રૂપિયાનાં પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી, અને શહેરીકરણ માટે 30 હજાર 325 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું.
સરકારી યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચડવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રાજકોટમાં વિચરતી-વિમુક્ત જાતિના તથા પ્લોટના લાભાર્થીઓને સનદ વિતરણ, પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે કહ્યું સંતાનોને ભણાવશો તો આવનારી પેઢી ઈચ્છા મુજબની તૈયાર થશે.
રાજકોટ મહાનગર પાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના 565 કરોડ 63 લાખ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતાં શ્રી પટેલે જણાવ્યું, શહેરીકરણ માટે ગત વર્ષ કરતાં 40 ટકાના વધારા સાથે 30 હજાર 325 કરોડ રૂપિયા ની ફાળવણી કરી છે.

