સુરેન્દ્રનગર – ચોટીલા હાઇવે પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત
સુરેન્દ્રનગર – ચોટીલા હાઇવે પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત
સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધતા જઇ રહ્યાં છે. ત્યારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે ટ્રકની અડફેટે બાઈકચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ટ્રકચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો.
આ ઘટનામાં ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

