Saurashtra Satya
ભારત

દક્ષિણ ગુજરાતમાં અંધારપટ, 32 લાખથી વધુ ગ્રાહકો અંધારામાં

ઉકાઈ પાવર સ્ટેશન બંધથી દક્ષિણ ગુજરાતના 7 જીલો, 45 તાલુકાઓ, 23 શહેર અને 3461 ગામડાઓમાં વીજળી ચાલી. સાથોસાથ આ ટ્રેનો પણ રોકાવવાની સંભાવના છે.

ઉકાઈ પાવર પ્લાન્ટના તમામ યુનિટ બંધ, શું છે કારણ?
વાસ્તવમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ ઉભુ થયું છે. ઉકાઈ પાવર પ્લાન્ટના તમામ યુનિટો બંધ થવાને કારણે વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. જેના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેરો અને 3461 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ કરી દીધો છે. વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં 5 કલાકથી વધુ સમય લાગી શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ઘરો, વ્યવસાયિક વિસ્તારો અને ઉદ્યોગો ખોરવાઈ જશે. પાવર ફેલ થવાને કારણે રેલવેની કામગીરી પણ પ્રભાવિત થઈ શકે છે. જેના કારણે લોકોને ટ્રાફિકમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે તે હજુ સુધી જાણી શકાયું નથી. એવું લાગે છે કે લોકોએ થોડો વધુ સમય અંધકારમાં પસાર કરવો પડશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More