Saurashtra Satya
ગુજરાત

Navratri Rain – શું વરસાદ નવરાત્રીની માઝમ રાત બગાડશે કે ખેલૈયાઓને મોજ કરાવશે?

ગુજરાતની હવામાં નવરાત્રીની રમઝટની સુગંધ ફેલાઈ ગઈ છે. નવરાત્રી 2025 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે  હવે આ નવરાત્રીમાં ચોમાસું વિદાય લેશે.

તે પહેલા દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અત્યારે ખૂબ વધાએ વરસાદી તારાહી કરી હતી  પણ નવરાત્રીના પહેલા આ અઠવાડિયે હવામાન વ્યાપક અસર અને ચોમાસુ નબળુ પડી ગયુ છે.

નવરાત્રિમાં વરસાદ આવવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી. નવરાત્રિ દરમિયાન પહેલા ગરમી અને બાદમાં વરસાદ પડી શકે છે. આમ, છેક છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ આવી શકે છે.

છેલ્લાં બે વર્ષથી ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયો છે, જેને કારણે નવરાત્રિમાં વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે પણ અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમ સક્રીય થતાં 2023, 2024માં નવરાત્રિ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. આ વર્ષે પણ આ સિસ્ટમ સક્રિય છે. વર્ષ 2013, 2024માં નુવરાત્રિમાં વરસાદ પડ્યો હતો.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More