તાપી જિલ્લાના આદિવાસી સમાજ માટે વિવિધ વિકાસાત્મક યોજનાઓ અમલમાં લાવવામાં આવી રહી છે. PM આવાસ યોજના હેઠળ આદિવાસીઓને પાકા મકાન ઉપલબ્ધ કરાવા માટે સહાય આપવામાં આવી છે. વ્યારા તાલુકાના પ્રતિકભાઈએ લીંબુમાંથી પાવડર બનાવી આવક વધારી
તાપી જિલ્લલામાં આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે વિવિધ કામગીરી અમલમાં લાવવામાં આવી રહી છે. આદિવાસી ખેડુતોને પ્રોત્સાહિત કરવાનો અને તેમને વ્યવસાયિક રીતે સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય લઈને અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આદિવાસી લોકો પોતાની જાતિ અને પરંપરા સાથે શ્રેષ્ઠ જીવન જીવવા માટે કટિબદ્ધ છે, જેમાં PM આવાસ યોજના દ્વારા આદિવાસીઓને પાકા મકાન માટે સહાય આપવામાં આવી રહી છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં રહેતા પ્રતિકભાઈ ચૌધરી, જેઓ લીંબુની ખેતી કરે છે, તેમને મકાન બનાવટ ઉપરાંત, ખેતપાક સાથે લીંબુમાંથી પાવડર બનાવવાનો પ્રયોગ પણ કરવામાં આવ્યો. આ પ્રયોગ થકી પ્રતિકભાઈને વધારાની આવક મળી રહી છે. તેનાથી તેમની ખેતપાકની આવક બમણી થશે.

