ગુજરાતના ભરૂચમાં ગઈ રાત્રે ધાર્મિક ઝંડાને લઈને બે સમૂહ વચ્ચે તણાવનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન બંને તરફથી પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે એક તરફ ગણેશ મહોત્સવ અને બીજી તરફ ઈસ્લામિક ધાર્મિક ધ્વજ લહેરાવાના કારણે વિવાદ શરૂ થયો હતો. જો કે હાલ સ્થિતિ કાબુમાં છે.
ડીએસપી ભરૂચ મયુર ચાવડાના જણાવ્યા મુજબ ગત રાત્રે 10.30 વાગ્યાના સુમારે બે કોમના લોકો સામસામે આવી ગયા હોવાની પોલીસને બાતમી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઝંડા લગાવવાને લઈને હોબાળો થયો હતો. પોલીસે આવીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. હાલ તેની તપાસ ચાલી રહી છે.

