ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે ઓપરેશન સિંદૂરને ટેકો આપ્યો, આતંકવાદ વિરુદ્ધ ભારતની કાર્યવાહીની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આતંકીઓનાં નિર્દોષો સામેનાં કૃત્યો છુપાશે નહીં.
ઇઝરાયલે આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે.
ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે કહ્યું કે ઇઝરાયલ ભારતે કરેલી જવાબી કાર્યવાહીને ટેકો જાહેર કરે છે..સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજદૂત અઝારે કહ્યું કે આતંકવાદીઓએ હવે જાણી લેવું જોઈએ કે નિર્દોષો સામેના તેમના જઘન્ય કૃત્યોને છુપાવી શકાશે નહીં.

