Saurashtra Satya
રમતો

IPLમાં પંજાબે લખનઉ સૂપર જાયન્ટ્સને 8 વિકેટથી હરાવ્યું

લખનૌમાં ગઇકાલે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે પ્રભસીમરન સિંઘના 69 રનના પ્રભાવી સ્કોર સાથે લખનૌ સૂપર જાયન્ટ્સને 8 વિકેટથી પરાજય આપ્યો છે.

IPL ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર બંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.

ગઇકાલે લખનૌમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે પ્રભસીમરન સિંઘના 69 રનના પ્રભાવી સ્કોર સાથે લખનૌ સૂપર જાયન્ટ્સને 8 વિકેટથી પરાજય આપ્યો છે. કપ્તાન શ્રેયસ ઐય્યરે 52 રન કર્યા હતા. લખનૌ માટે દીગવેશ સિંઘ રાઠીએ

2 વિકેટ ઝડપી હતી. અગાઉ ટોસ જીતીને પંજાબે ફિલ્ડિંગ પસંદ કરી હતી. લખનૌએ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. ટેબલ પોઈન્ટમાં લખનૌ ત્રીજા સ્થાને તો પંજાબ પાંચમા ક્રમે છે. જ્યારે રોયલ ચેલેન્જર બેંગલોર પ્રથમ ક્રમાંક પર છે

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More