પહેલગામ આતંકવાદી હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
પહેલગામ આતંકવાદી હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠક સંસદ ભવન સંકુલમાં સાંજે 6 વાગ્યે યોજાશે. આ બેઠકમાં આંતકવાદી હુમલા બાદ સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાંઓની તમામ પક્ષોને માહિતી આપવામાં આવશે અને વર્તમાન સ્થિતિની ચર્ચા કરવામાં આવશે.

